Sunday, March 23, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADવિસનગર-વીજાપુર અને આણંદ-કરમસદ-સોજીત્રા રોડ બનશે ફોરલેન, કપરાડામાં ભૂરવડ ગામે દમણગંગા નદી મેજર...

વિસનગર-વીજાપુર અને આણંદ-કરમસદ-સોજીત્રા રોડ બનશે ફોરલેન, કપરાડામાં ભૂરવડ ગામે દમણગંગા નદી મેજર બ્રિજના નિર્માણને પણ મંજૂરી

Share:

મુખ્યમંત્રી દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક જ દિવસમાં કુલ 294 કરોડ રૂપિયાની ફાળવણી

ગાંધીનગર, 13 જાન્યુઆરી, 2025 : મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે ગુજરાતના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબ રોડ કનેક્ટિવિટી મળે; તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભે રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ, ઉત્તર ગુજરાતના વિસનગર-વીજાપુર માર્ગને ફોરલેન કરવા સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને વધુ સુવિધા આપવા એક જ દિવસમાં સમગ્રતયા 294 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તાર કપરાડાના 16 જેટલા ગામોની 23 હજારથી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે; તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે 26 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ રકમથી કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના ટુકવાડાને જોડતા બ્રિજનું નિર્માણ થશે. પરિણામે શાળાએ જતાં આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ જી.આઈ.ડી.સી.માં નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે.

આ ઉપરાંત રાજ્યના વધુ બે માર્ગોને પણ ફોરલેનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિસનગરથી વીજાપુરના 24 કિલોમીટરના માર્ગને હાલની ૭ મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે 136.16 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.

વિસનગરથી વીજાપુર જતાં આ માર્ગ પરથી હિંમતનગર, મોડાસા, ઇડર અને મહિસાગરના લુણાવાડા તરફ જતા ભારે વાહનો પસાર થાય છે. તેના ટ્રાફિક-ભારણને તેમજ અન્ય વાહનો માટે વધુ સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયથી તેમણે આ નિર્ણય કર્યો છે.

એટલું જ નહીં, તેમણે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ-કરમસદ-સોજીત્રા-તારાપુર રોડને પણ 1૦ મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફોરલેન કરવા સાથો-સાથ ઇન્સ્ટ્રાક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નીચર તથા અન્ય કામગીરી માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.

આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches