Wednesday, June 25, 2025
HomeBBN-EXCLUSIVEગુજરાત સરકારે ટેહરી ગઢવાલ ખાતે 184.08 મેગાવોટ પમ્પડ સ્ટોરેજ ક્ષમતા માટે THDC...

ગુજરાત સરકારે ટેહરી ગઢવાલ ખાતે 184.08 મેગાવોટ પમ્પડ સ્ટોરેજ ક્ષમતા માટે THDC ઈન્ડિયા લિમિટેડ સાથે MoU કર્યા

Share:

આજે ગાંધીનગર ખાતે નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા THDCના અધ્યક્ષ આર.કે.વિશ્નોઇની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ટેહરી ગઢવાલ ખાતે 184.08 મેગાવોટ પમ્પડ સ્ટોરેજ ક્ષમતા માટે THDC ઈન્ડિયા લિમિટેડ સાથે સમજૂતી કરાર-MoU કરવામાં આવ્યા હતા. ઊર્જા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે.હૈદર, THDC ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર (ફાઈનાન્સ) એસ.કે.ગર્ગ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.-GUVNLના મેનેજિંગ ડિરેક્ટર અનુપમ આનંદ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ષ ૨0૭0 સુધી નેટ ઝીરો ઊત્સર્જન હાંસલ કરવાના ધ્યેયને પૂર્ણ કરવા ગુજરાત રિન્યૂએબલ ઊર્જાને અપનાવવામાં અગ્રેસર રહ્યું છે. જે અંતર્ગત મે, ૨0૨૫ સુધી ૩૫.૯4 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ગુજરાતે વર્ષ ૨0૩0 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યૂએબલ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે, જે ભારતના સ્વચ્છ ઊર્જાના લક્ષ્યાંકમાં રાજ્યના મહત્વપૂર્ણ યોગદાનને પ્રદર્શિત કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ-PSP ઊર્જા પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે વિશાળ પાયે ઊર્જા સંગ્રહને શક્ય બનાવે છે. સામાન્ય રીતે દિવસે જ્યારે સૌર ઊર્જાનું વધુ ઉત્પાદન થાય છે, ત્યારે PSP નીચલા જળાશયમાંથી ઉપરના જળાશયમાં પાણી પમ્પ કરવા માટે સૌર ઊર્જાની વીજળીનો ઉપયોગ કરે છે. જ્યારે સૌર ઊર્જા ન હોય અને વીજળીની માંગ વધી જાય છે, ત્યારે આ જ પાણી ઉપરના જળાશયમાંથી નીચે છોડવામાં આવે છે અને ટર્બાઇન દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ગ્રીડને વધુ સંતુલિત બનાવે છે, રિન્યૂએબલ ઊર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરે છે, ઇંધણ આધારિત ઊર્જા પરનો આધાર ઘટાડે છે અને સ્થિર તેમજ વિશ્વસનીય વીજ પુરવઠાને સુનિશ્ચિત કરે છે. આમ, આ સમજૂતીપત્ર રાજ્ય સરકારની રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ભવિષ્ય માટે ઊર્જા સુરક્ષા, સ્વચ્છ તથા પ્રદૂષણમુક્ત ઊર્જા વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches