વડનગર (મહેસાણા), 21 જુન : ગુજરાતમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મોદીની જન્મ ભૂમિ અનંત અનાદિ વડનગર ખાતે કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશવાસીઓને મેદસ્વીતા થી દુર રહેવા કરેલા આહ્વાન ને ઝીલી લઈને ગુજરાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં આ વર્ષે 11 માં યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાત નો સંકલ્પ કર્યો છે.
રાજ્યભરમાં મહાનગર પાલિકાઓથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

યોગ અને પ્રાણાયામ ની પ્રાચીન સ્વાથ્ય વિરાસત વડાપ્રધાન નરેન્દ્ર ની પ્રેરણા અને પ્રયાસો થી વિશ્વના દેશોના લોકોની રોજ બરોજ ની જીવન શૈલી નો ભાગ બની ગઈ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું.
તેમણે યોગ અભ્યાસ ની જીવન માં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા બહેન, રાજ્ય યોગ બોર્ડ અધ્યક્ષ શીશ પાલજી તેમજ ધારા સભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો, યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધન નું જીવંત પ્રસારણ સૌ એ નિહાળ્યું હતું.
