Saturday, May 31, 2025
HomeBBN-EXCLUSIVEભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા,કરણ અદાણીએ જણાવી મહત્વના ક્ષેત્રોમાં કારોબાર વધારવાની...

ભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા,કરણ અદાણીએ જણાવી મહત્વના ક્ષેત્રોમાં કારોબાર વધારવાની ભાવિ યોજનાઓ

Share:

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું છે  કે તેઓ દરિયાઈ, લોજિસ્ટિક્સ અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયોને વધારવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  ૮,૮૬૭ કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરના ઉદ્ઘાટન બાદ કરણ અદાણીએ વ્યવસાય વૃદ્ધિ માટેની અનેક બાબતો અંગેની ભાવિ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

કરણ અદાણીએ જણાવ્યું હતું કે “ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર  APSEZ ત્રણ મુખ્ય વ્યવસાય ક્ષેત્રોમાં છે. જેમાં દરિયાઈ વ્યવસાય, લોજિસ્ટિક્સ વ્યવસાય અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો સમાવેશ થાય છે. તેમણે ધ્યાન દોર્યું કે APSEZ દેશમાં દરિયાઈ વેપારનું સૌથી મોટું ઓપરેટર છે. હવે ભારત અને ભારતની બહાર દરિયાઈ વેપારને વધારવાનો અમારો ઉદ્દેશ છે,”. તેમણે જણાવ્યું હતું કે APSEZ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવા વિચારણા કરી રહ્યું છે. બંદરોની જેમ અમે મોટા મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરીશું”.

અદાણી ગ્રુપની મુખ્ય કંપની APSEZ વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટના બીજા તબક્કામાં રૂ. ૧૩,૦૦૦ કરોડનું રોકાણ કરશે, જેનાથી ઊંડા પાણીના બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન ૧૨ લાખ TEUs (વીસ ફૂટ સમકક્ષ એકમો) થી ૨૦૨૮ સુધીમાં લગભગ ૫૦ લાખ TEUs થશે.

કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો ઉલ્લેખ કરતા, અદાણીએ કહ્યું કે “આજે ભારતમાં સંગ્રહિત અનાજ યોગ્ય રીતે સંગ્રહિત નથી. એટલા માટે જ અમે સાયલો બનાવવા અને તેનો સંગ્રહ કરવા પર વિચાર કરી રહ્યા છીએ,”

વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર APSEZ ના અન્ય બંદરોથી અલગ કેવી રીતે તેના જવાબમાં અદાણીએ કહ્યું કે  “વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ દેશનું પહેલું પોર્ટ છે જેમાં 100 ટકા ટ્રાન્ઝિટ બિઝનેસ છે.’ હાલમાં, અમારા બંદરોમાંથી પસાર થતો બધો કાર્ગો સિંગાપોર અને કોલંબો જઈ રહ્યો છે, આ કાર્ગોને અમે વિઝિંજામ બંદર પર લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ“.

અત્યારે ભારતના 75 ટકા ટ્રાન્ઝિટ કાર્ગોનું સંચાલન ભારતની બહારના બંદરો પર થાય છે અને ભારતીય બંદરો ભારતમાંથી/ભારત તરફ આવતા કાર્ગોના ટ્રાન્ઝિટ હેન્ડલિંગ પર દર વર્ષે US$ 200-220 મિલિયન સુધીની સંભવિત આવક ગુમાવે છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે કંપનીનો ઉદ્દેશ્ય ભારતીય વેપારીઓ માટે શિપિંગ ખર્ચ ઘટાડવાનો છે. ‘એકવાર આવું થશે, પછી વોલ્યુમ આપમેળે વધશે.’

વિઝિંજમ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગાપોર, કોલંબો, સલાલાહ અને દુબઈના વિદેશી બંદરો દ્વારા હાલમાં પરિવહન થતા ભારતીય કાર્ગોને સ્વદેશ પરત લાવવાનો છે. આ ટ્રાન્ઝિટ પોર્ટ એક પ્રકારનું ટ્રાન્ઝિટ હબ છે જ્યાં એક જહાજમાંથી કાર્ગો તેના અંતિમ મુકામ સુધી પહોંચવા માટે બીજા જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર ટેરિફની દ્રષ્ટિએ કોલંબો અને સિંગાપોર બંદરો સાથે કેવી રીતે સ્પર્ધા કરશે? તેના જવાબમાં અદાણીએ કહ્યું કે વિઝિંજામ બંદરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવી પડશે. “તેથી આપણે ફક્ત ફી પર જ નહીં, પરંતુ તમામ પાસાઓ પર સ્પર્ધા કરવી પડશે. આપણે કાર્યક્ષમતા પર સ્પર્ધા કરવી પડશે, આપણે કામગીરી તેમજ ઉત્પાદકતા પર પણ સ્પર્ધા કરવી પડશે.

આંતરરાષ્ટ્રીય સંપાદન યોજનાઓ અંગેના પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું કે “દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ આફ્રિકાના પ્રદેશો APSEZ માટે રસપ્રદ ક્ષેત્રો છે”.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches