Wednesday, March 19, 2025
HomeBBN-EXCLUSIVEસુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 7...

સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચના રોજ સુરતની મુલાકાત લેશે

Share:

સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ આપવામાં આવશે

ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજનાનો લાભ આપવાનો સંકલ્પ

ગાંધીનગર, 5 માર્ચ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચ, 2025ના રોજ ગુજરાતમાં સુરત જિલ્લાની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન, ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હેઠળ તેઓ સુરતના લગભગ 2,00,000 પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા NFSA કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMGKAY) શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે 76 લાખથી વધુ NFSA કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે, જે રાજ્યના લગભગ 3.72 કરોડથી વધુ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લે છે.

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ગંગાસ્વરૂપા બહેનો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વૃદ્ધ પેન્શન સહાય યોજના મેળવતા લાભાર્થીઓ તથા દિવ્યાંગ સહાય યોજનાઓનો લાભ મેળવતા લાભાર્થીઓને તેમની આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ તરીકે સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી આ લાભાર્થીઓ પણ રાહતદરે અનાજનો લાભ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજનો લાભ મેળવી શકે.

સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અંત્યોદય કલ્યાણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને સુરતમાં ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પાત્ર ગરીબ પરિવારોના લાભાર્થીઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને ગંગાસ્વરૂપા (વિધવા) બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો તેમજ હાંસિયામાં રહી ગયેલા દૈનિક વેતન મેળવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી.

સમાજ સુરક્ષા હેઠળ સંબંધિત યોજનાકીય લાભો મેળવતા લાભાર્થીઓની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, સુરત જિલ્લામાં લગભગ 1,50,000 લાભાર્થીઓ ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનાના લાભો મેળવી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને ઝોન કક્ષાએ ટીમો બનાવીને એ બાબતની તપાસ કરવામાં આવી કે આમાંથી કેટલા લાભાર્થીઓ NFSA હેઠળ આવરી લેવાયા છે અથવા તો તેમને કેવી રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપી શકાય. તાલુકા તથા ઝોન કક્ષાની ટીમોએ મિશન મોડમાં ખૂબ ટુંકાગાળામાં NFSA કાર્ડ ધરાવતા તેમજ ન ધરાવતા તમામ પરિવારોની ઓળખ કરી. પ્રવર્તમાન લાભાર્થીઓની ઓળખ કર્યા પછી બાકી રહી ગયેલા લાભાર્થીઓનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું, અને છેલ્લા 1 વર્ષમાં વહીવટીતંત્ર દ્વારા બાકીના હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી, જેથી તેમને NFSA હેઠળ આવરી લઇ શકાય.

આમ, સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ લગભગ 2,00,000 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. આ તમામ લાભાર્થીઓને આગામી 7 માર્ચ, 2025ના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે એક જ સમયે, એકસાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા અન્ન સુરક્ષાના લાભો

ભારત સરકાર ખાદ્ય સુરક્ષા અન્વયે, પ્રત્યેક NFSA કાર્ડધારક લાભાર્થીને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ (ઘઉં અને ચોખા) આપે છે. ખાદ્યસુરક્ષાની સાથે પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પણ રાહતદરે અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વિતરણ કરે છે, જે નીચે મુજબ છે:

• ₹50 પ્રતિ કિલોના ભાવે 1 કિલોગ્રામ તુવેરદાળ
• ₹30 પ્રતિ કિલોના ભાવે 1 કિલોગ્રામ ચણા
• ₹15 પ્રતિ કિલો (AAY) ના ભાવે 1 કિલોગ્રામ (કાર્ડદીઠ) ખાંડ
• ₹22 પ્રતિ કિલો (BPL) ના ભાવે 350 ગ્રામ (સભ્યદીઠ) ખાંડ
• ₹1 પ્રતિ કિલોના ભાવે 1 કિલો ડબલ ફોર્ટિફાઇડ મીઠું

આ ઉપરાંત, દર વર્ષે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન, તમામ NFSA કાર્ડધારક લાભાર્થીઓને કાર્ડદીઠ 1 કિલોગ્રામ વધારાની ખાંડ અને ₹100 પ્રતિ લીટરના રાહતદરે 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું પણ વિતરણ કરવામાં આવે છે. 

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335