Saturday, May 31, 2025
HomeBBN-EXCLUSIVEએન.સી.સી. ના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે નવનિયુક્ત મેજર જનરલ રાય સિંહ ગોદારા...

એન.સી.સી. ના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે નવનિયુક્ત મેજર જનરલ રાય સિંહ ગોદારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે

Share:

એન.સી.સી. – નેશનલ કૅડેટ કોરના ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયેલા મેજર જનરલ રાય સિંહ ગોદારાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મેજર જનરલ રાય સિંહ ગોદારા જૂન 1991 માં 21 મિકેનાઈઝડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં ભારતીય સેનામાં જોડાયા હતા. ટેન્ક ટેકનોલૉજી અને ડિઝાઇનિંગના વિશેષજ્ઞ મેજર જનરલ રાય સિંહ ગોદારાએ યુ. એન. શાંતિ રક્ષા મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મેજર જનરલ રાય સિંહ ગોદારાને તેમની નવી નિયુક્તિ માટે શુભકામનાઓ પાઠવી હતી અને ભારતીય સેનામાં તેમના યોગદાનની સરાહના કરી હતી. તેમણ કહ્યું કે, ભારતીય સેના દેશનું ગૌરવ, પ્રતિષ્ઠા, સુખ અને શાંતિ છે. ભારતીય સેનાએ વિશ્વમાં અલગ-આગવી ઓળખ ઊભી કરી છે. શ્રી ગોદારાના સૈન્યના અનુભવોનો એન.સી.સી.ના નેતૃત્વમાં વિશેષ લાભ મળશે એવી અભિલાષા પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches